પ્રાચીન સમયથી મામલતદારની કચેરીને મહત્વનો દરજ્જો મળેલ છે. મામલતદાર શબ્દ મુળ અરેબિક શબ્દ "MUAMLA" (મામલા) પરથી ઉતરી આવેલ છે. "મામલો" એટલે ગુચવણભરી બાબત કે કિસ્સો અને આવી બાબત કે પ્રશ્નોનો ઊકેલ લાવનાર અધિકારી એટલે મામલતદાર. મામલતદાર સરેરાશ ૫૦ કે તેથી વધુ ગામોના સમુહના બનેલા તાલુકાના મહેસુલી વડા છે.
જમીન મહેસુલ અધિનિયમની કલમ- 12 મુજબ મામલતદારની નિમણુક રાજય સરકાર કરે છે. મામલતદારની નિમણુંક તેમજ ફરજો અને સત્તા વિશે નીચે મુજબ જોગવાઇ કરવામાં આવી છે.