પી.આર.ઓ.શાખા

કલેકટર ઓફીસમાં આવતા લોકોને માર્ગદર્શન પૂરું પાડવું, સમાચાર પત્રોમાં આવેલ માહિતીઓને વંચાણે આપવામાં આવે છે, આર.ટી.આઈ. ની અરજી તેમજ અપીલ ચલાવવાની કામગીરી, લોકોના પ્રશ્નોનું નિવારણ, તેમજ લોક ફરિયાદ કાર્યક્રમ કરવામાં આવે છે.

શાખાની કામગીરી

  • પી.આર.ઓ.શાખા માર્ગદર્શન આપતી શાખા છે. જેમાં કલેકટર કચેરીમાં આવતા લોકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે.
  • દૈનિક સંચાર પત્રોમાં આવેલ અગત્યની તેમજ કલેકટર કચેરીને લગતી માહિતીઓને એકત્રીત કરી નિવાસી અધિક કલેકટરશ્રી તેમજ કલેકટરશ્રીને વંચાણે આપવામાં આવે છે.
  • માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અન્વયે આવેલ આર.ટી.આઈ. ની અરજી તેમજ અપીલ ચલાવવાની કામગીરી પી.આર.ઓ. શાખા દ્વારા કરવામાં આવે છે.

જીલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગત કાર્યક્રમ

  • જીલ્લા સ્વાગત કાર્યક્રમ દર મહિનાનાં ચોથા-ગુરુવારે યોજાય છે. આ કાર્યક્રમ હેઠળ લોકોના પ્રશ્નોનું નિવારણ કરવામાં આવે છે.
  • જિલ્લાના પ્રશ્નોનું સંકલન કરી વહીવટી ક્ષેત્રે કાર્યદક્ષતા વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે.
  • જીલ્લા સંકલન સમિતિની મીટીંગ દર માસના ત્રીજા શનિવારે યોજવામાં આવે છે.
  • લોક ફરીયાદ કાર્યક્રમ અને આઈ.ડબલ્યુ.ડી.એમ.એસ. કાર્યક્રમ હેઠળ લોકોની આવતી ફરિયાદનું નિવારણ લાવવામાં આવે છે.

પી.આર.ઓ.શાખા

Downloads
[Gujarati] [99 KB]

મુખ્ય સંપર્ક

નવું શું છે ?

Whats new

Accessibility OptionsAccessibility Options